Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

શબ્દ બિના શ્રુતિ આંધરી, કહો કહાં કો જાય ?
દ્વાર ન પાવૈ શબ્દકા, ફિરિ ફિરિ ભટકા ખાય !

જેનું હૃદય ગુરૂના બોધ વચનો દ્વારા સમૃદ્ધ બન્યું નથી તેની શ્રુતિ એટલે કે મનોવૃત્તિ આંધળી છે. તેવું મન સારરૂપ શબ્દના દ્વાર સુધી પહોંચતું નથી. બિન જરૂરી પદાર્થોમાં નિમગ્ન બની જતું હોવાથી વારંવાર ભટક્યા કરે છે. મતલબ કે મુક્તિનું સુખ પ્રાપ્ત થઈ શકતું નથી.

નોંધ :  ગુરૂ દ્વારા બોધ મળે તે જ્ઞાનરૂપ શબ્દ કહેવાય. તેમાં ચિંતન-મનન-નિદિધ્યાસન ભળે એટલે જીવ પ્રકાશને પંથે ગતિ કરતો થઈ જાય. તેવો બોધ ન પ્રાપ્ત કરે તો અજ્ઞાનના અંધકારમાં જ જીવ ભટક્યા કરે છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,719
pdf-1અનંત સૂર | Anant Soor 10,310
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,265
pdf-3Amar Varso | અમર વારસો 7,930
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,972