Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કબીરા ખાંઈ ખોટકી, પાની પિબૈ ન કોય,
જાય મિલે જબ ગંગસે, સબ ગંગોદક હોય.

કોટની ફરતેની ખાઈનું પાણી કોઈ પીવે નહિ. પરંતુ એ જ ખાઈનું પાણી ગંગામાં જઈને ભળી જાય તો લોકો તેને ગંગોદક કહી કહીને પીવે છે.

નોંધ :  કબીર સાહેબ આધ્યાત્મિક માર્ગે આગળ જવા માગતા સાધકને માર્ગદર્શન આપી રહ્યા છે. સજ્જન પુરુષના સંગથી તેની પ્રગતિ શક્ય બને છે. દુર્જનના સંગથી તેના માર્ગમાં અવરોધ પેદા થાય છે. માટે સંગત પણ સારાની જ કરવી એવો ઉપદેશ ગ્રહણ કરવો જોઈએ. પણ સારા માણસ કોને સમજવા એ આધુનિક યુગની સમસ્યા છે. કબીર સાહેબ તે અંગે પણ માર્ગદર્શન આપતા કહે છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,713
pdf-1અનંત સૂર | Anant Soor 10,307
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,265
pdf-3Amar Varso | અમર વારસો 7,929
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,971